પ્રાથમિક શિક્ષણ ને લગતા તમામ પરિપત્રો તેમજ અદ્યતન માહિતી માટે ઉપયોગી બ્લોગ. પ્રાથમિક શિક્ષણ નિયામક પરિપત્ર,સરકારી ઠરાવો અને પરિપત્રો,સરકારી ભરતી ની જાહેરાત,સમગ્ર શિક્ષા અભિયાન,પ્રાથમિક શિક્ષણના પરિપત્રો,ssa,શિક્ષણ વિભાગ ,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,વિદ્યાસહાયક ભરતી
Tuesday, October 5, 2021
Monday, October 4, 2021
*👆દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના* *✅ ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતા અને બીપીએલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને સહાય મળશે.* *✅ છેલ્લી તારીખ: 31/10/2021*
*👆દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા સહાય આપવાની યોજના*
*✅ ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતા અને બીપીએલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને સહાય મળશે.*
*✅ છેલ્લી તારીખ: 31/10/2021*
Sunday, October 3, 2021
દિન વિશેષ
હિન્દુ કેલેન્ડર મુજબ, માહ મહિનામાં સુદ સાતમ ના દિવસે દર વર્ષે નર્મદા જયંતી મનાવવામાં આવે છે.
આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પૂજા કરે છે જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પવિત્ર નર્મદા નદી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતાં પછી અરબી સમુદ્રને મળે છે.
આવો જાણીએ નર્મદા નદી વિષે કેટલીક રસપ્રદ વાતો
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા–યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

*હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર* *તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*
*હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર*
*તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*
Saturday, October 2, 2021
Friday, October 1, 2021
Featured post
પરિણામ
વિદ્યાર્થી પરિણામ પોર્ટલ પરિણામ તપાસો શોધો ...
-
નોવેલ કોરોના ના કારણે સંક્રમિત થયેલ શિક્ષકોને ઓનડ્યુટી ગણવા બાબત જિલ્લા પંચાયત ભાવનગર ના dpeo શ્રી નો પરિપત્ર..





